ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વ

4/18/2024 5:58:31 AM

નીતિ ઘડતરમાં પ્રજાનું પ્રતિનિધિત્વffff

  • ગૃહ વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવતા વિષયો અને કાયદાઓ વિશિષ્ટ પ્રકારના છે. ગૃહ વિભાગની કામગીરી માટે પોલીસી ધડતરની બાબતો અને વહીવટીય બાબતોમાં જાહેર જનતાના સભ્યોનું પ્રતિનિધિત્વ કે તેઓને પરામર્શ કરવાની કોઈ કામગીરી થતી નથી. નીતિ વિષયક બાબતો સરકાર કક્ષાએ નકકી થાય છે.
  • મુંબઈ નશાબંધી ધારો, ૧૯૪૯ની કલમ-૧૪3 હેઠળ નિયમો કરવાની રાજ્ય સરકારને સત્તા છે. પરંતુ કલમ: ૧૪3(3) મુજબ આ સત્તા પૂર્વ પ્રસિઘ્ધિને આધીન છે એટલે આ નિયમોમાં ફેરફાર કરતાં કે નવા નિયમો બનાવતી વખતે પ્રથમ ગેઝેટમાં પ્રસિધ્ધ કરાવી સબંધકર્તાઓ પાસેથી વાંધાઓ / સૂચનો મંગાવી નિયમો બનાવવાના રહે છે. પરંતુ જો રાજય સરકારને એવું જણાય કે તેવા કોઈ નિયમો તરત જ અમલમાં લાવવા જોઈએ તો તેવા નિયમો પૂર્વ પ્રસિઘ્ધિ વિના કરી શકાશે.
  • ધી મેનુવર્સ, ફીલ્ડ ફાયરિંગ એન્ડ આટીર્લરી પ્રેક્ટિસ એકટ, ૧૯3૮ની કલમ ૯(3) હેઠળ ફીલ્ડ ફાયરિંગ માટે મિલેટ્રી સત્તાવાળાઓને અધિકૃત કરતાં પહેલાં જે વિસ્તારોમાં ફિલ્ડ ફાયરીંગની પ્રેક્ટિસ કરવાની હોય, તે વિસ્તારના વર્ણન સહિત (રેવન્યુ સર્વે નંબર સાથે) એક જાહેરનામુ બહાર પાડવામાં આવે છે અને નિયત સમય-મર્યાદામાં તે સામેની વાંધા-અરજીઓ પ્રજા પાસેથી મંગાવવામાં આવે છે અને તેમની રજૂઆતો ઉપર યોગ્ય તે નિર્ણય લેવામાં આવે છે.