ગૃહ વિભાગ
http://www.home.gujarat.gov.in

વીર મેધમાયા બલિદાન પુરસ્કાર

4/27/2024 3:05:22 AM
ગુજરાત રાજ્યના વતની હોય તેવા કોઇપણ પ્રજાજનને અગાઉના કેલેન્ડર વર્ષ દરમ્યાન રાજયમાં કે રાજય બહાર રાષ્ટ્રિય હિત માટે પોતાના જાનનું બલિદાન આપેલ હોય તેવી વ્યકિતના પરિવારને સ્વતંત્ર્ય દિને "વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર' એનાયત કરવાની યોજના અમલમાં મુકેલ છે. આ પુરસ્કારમાં એકલાખ રૂપિયા, પ્રશસ્તિપત્ર અને સ્મૃતિ ચિન્હ આપવામાં આવે છે. ઉક્ત પુરસ્કાર માટે પ્રત્યેક જીલ્લામાં જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપદે રચાયેલ જીલ્લા કક્ષાની પસંદગી સમિતિ તરફથી દરખાસ્ત સરકારને મોકલવાની હોય છે. અને સરકાર કક્ષાએ મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષપદે રચાયેલ રાજય કક્ષાની પસંદગી સમિતિને જીલ્લા કક્ષાની પસંદગી સમિતિઓ તરફથી મળેલ દરખાસ્તો વિચારણામાં લઇને "વીર મેઘમાયા બલિદાન પુરસ્કાર'માટે ભલામણ કરવાની રહે છે. આ રાજયકક્ષાની પસંદગી સમિતિની ભલામણ અંગે સરકારશ્રીના આદેશો મેળવીને આ પુરસ્કાર સ્વાતંત્ર્ય દિને માન. મુખ્યમંત્રીશ્રીના હસ્તે એનાયત કરવામાં આવે છે.